Type Here to Get Search Results !

કોષરસપટલ | NEET BIOLOGY | MANISH MEVADA

2

કોષરસપટલ

કોષરસસ્તર . - સેન્ડવિચ મોડેલ 

  • ડેવસન અને ડેનિઅલ એ સમજાવ્યું હતું ( 1935 ) 
  • આ નમૂના પ્રમાણે કોષરસસ્તર ત્રણ પડનું બનેલું છે જેમાં લીપીડનું દ્વિસ્તર પ્રોટીનના બે સિંગલ સ્તર દ્વારા સેન્ડવિચ થયેલું હોય છે.
  • આ નમૂના પ્રમાણે દરેક પ્રોટીન પડ 20 A ° જેટલું જાડું અને બીજું ફોસ્ફોલિપિડ નું દ્વિસ્તર 35A ° જાડાઈ ધરાવે છે જેથી કુલ જાડાઈ 75 A ° થાય.
  • તે સ્વીકાર્ય નથી.

એકમ પટલ સંકલપ્ના 
  • એકમ પટલ સંકલપ્ના રોબર્ટસને આપી હતી.
  • ડેનિયલ અને ડેવસન અને રોબર્ટ સન બંનેના મોડેલ ના સરખા મુદ્દા 
  • કોષરસસ્તર પ્રોટીન અને ફોસફોલિપિડ નું બનેલું છે
  • ફૉસફોલિપિડ એમ્ફીપેથિક(જાલવીતરાગી) છે પ્રોટીન અને લિપિડ ની ગોઠવણી પણ સેન્ડવીચ મોડેલ જેવીજ છે .
  • એકમ પટલ સંકલ્પના અને ડેનિયલ અને ડેવસન ના મોડેલ કરતા અલગ પણું   
  • પ્રોટીન B તંતુમય હોય છે (ડેનિયલ અને ડેવસન એ કહ્યું હતું ગોળાકાર પ્રોટીન હોય છે )
  • કોષરસસ્તર ની જાડાઈ 75 - 100 A ° હોય છે .
  • લિપિડ અને પ્રોટીન નો રેશિઓ બદલાય છે એ સમજાવી શક્યા ન હતા 
  • આ પણ સ્વીકાર્ય ન હતું 
ફ્લુઇડ મોઝેઇક મોડેલ 
  • વર્ષ 1950 માં ઈલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસપટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો.
  • આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસપટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસપટલની સંભવિત સંરચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ શકી.

રચના 
  • અભ્યાસ પછી એ વાતની સ્પષ્ટતા થઈ કે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે જે દ્વિ - સ્તરમાં ગોઠવાયેલ હોય છે લિપિડ પટલમાં લિપિડ એવી રીતે ગોઠવાયેલ હોય છે , જેનાં ધ્રુવીય શીર્ષ બહારની તરફ જ્યારે જલવિતરાગી પૂછડી અંદરની તરફ આવેલ હોય છે.
  • આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઈડ્રોકાર્બનની બનેલ અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે.
  • મુખ્યત્વે પટલમાં જોવા મળતાં લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરાઈડૂસનો બનેલ હોય છે.
  • ત્યાર પછીના જૈવ રાસાયણિક સંશોધનોથી સ્પષ્ટ થયુ કે કોષરસપટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે.
  • જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદુ - જુદુ હોય છે.
  • મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52 % પ્રોટીન અને 40 % લિપિડ આવેલ હોય છે.
  • પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે તેને અંતર્ગત અને પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે.
  • પરિધીય પ્રોટીન પટલની બાહ્ય સપાટી પર આવેલા હોય છે.
  • જ્યારે અંતર્ગત પ્રોટીન પટલમાં અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે.
  • રસસ્તર અંગેનું સુધારેલું મૉડલ સિંગર અને નિકોલ્સને 1972 માં સૂચવ્યું હતું.
  • તે ફ્લુઇડ - મોઝેઇક મોડલ તરીકે સર્વ સ્વીકૃત પામેલ છે.

ગુણધર્મો 
  • આ અનુસંધાનમાં લિપિડની અર્ધતરલ પ્રકૃતિના કારણે તેની દ્વિ - સ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાશ્વીય  ગતિ કરે છે.
  • પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને તરલતાને આધારે નક્કી કરી શકાય છે.
  • પટલની તરલ પ્રકૃતિ તેનાં કાર્યો જેવા કે કોષવૃદ્ધિ, આંતરકોષીય જોડાણ નિર્માણ, સ્ત્રાવ, અંતઃ ભક્ષણ કોષવિભાજન વગેરેની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. 
કાર્યો  
  • કોષરસ પટલનું સૌથી મહત્ત્વનું કાર્ય અણુઓનું તેની આરપાર વહનનું છે.
  • આ પટલ તેની બંને બાજુએ રહેલાં અણુઓ માટે પસંદગીમાન પટલ તરીકે વર્તે છે. 
  • ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે. 
  • જેને નિષ્ક્રિય ( મંદ ) વહન કહે છે. 
  • તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે. 
  • પાણી પણ આ પટલમાંથી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. 
  • પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આસૃતિ કહે છે. 
  • ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના દ્વિ સ્તરમાંથી પસાર થઈ શક્તા નથી આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીન કે જે પટલમાં ખૂંપેલા હોય છે તેની પટલમાંથી સાનુકૂલિત વહન માટે જરૂર પડે છે. 
  • કેટલાક આયનો કે અણુઓનું વહન પટેલની આરપાર સંકેન્દ્રના ઢોળાંશની વિરૂદ્ધ દિશામાં થાય છે
  • એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફનું આ વહન ક્રિયાશક્તિ આધારિત છે, જેમાં ATP નો ઉપયોગ થાય છે. તેને સક્રિયવહન કહેવાય છે . ઉ.દા. NA +/ K +પંપ .
===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................



Post a Comment

2 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad