ઉદવિકાસ વાદ - ઉદ્દવિકાસ ચાર વાદ દ્વારા સમજાવવામાં આવે છે
- લેમાર્કવાદ - ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
- ડાર્વિનવાદ - નૈસર્ગીક પસંદગી સિદ્ધાંત
- દ વ્રિશ નો વિકૃતિ વાદ
- નીઓડારવિઝમ - ઉદવિકાસ ની આધુનિક સંકલ્પના
ડાર્વિનવાદ નૈસર્ગીક પસંદગી સિદ્ધાંત:
- આ સિદ્ધાંત થોમસ માલ્થસ ના વસ્તી પરના કાર્ય થી પ્રભાવિત છે.
- એમના મત મુજબ નવી જાતિ પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી ઉદભવે છે
- સજીવોની વસ્તી ભૌમિતિક રીતે વધે છે.
- ઉ.દા - પેરામિશિયમ 24 કલાક અને બેક્ટેરિયા 20 મિનિટ માં પ્રજનન કરી ડબલ થાય છે.
- ખોરાક અને જગ્યા માર્યાદિત છે.
- અસ્તિત્વ માટે સંઘર્ષ - આંતરજાતીય, અંતઃજાતીય, પર્યાવરણીય
- વસ્તીમાં માં વિવિધતા (ભિન્નતા) નૈસર્ગીક પસંદગી અથવા યોગ્યતમની ચિરંજીવીતા
- ઉપયોગી ભિન્નતા માંટે આનુવંશિકતા
- નવી જાતિનો ઉદભવ (વિશિષ્ટતા )
ડાર્વિનવાદની મર્યાદાઓઃ
- ડાર્વિનના મત મુજબ કુદરતી પસંદગી વિવિધતાઓનું પેઢી દર પેઢી સંચાલન કરે છે પણ આ વિવિધતાઓ કેવી રીતે સર્જાય છે તે સમજાવતો નથી .
- લક્ષણો જો વારસાગત હોય તો તે માટે જનીનો જવાબદાર ગણાય પણ આ જનીનો વારસામાં કેવી રીતે ઉતરે છે તે સમજાવી શકતા નથી .
વિકૃતિ વાદ
- આ વાદ હ્યુગો દ વ્રિશ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો
- તેમણે ઇવનિંગ પ્રાઈમ રોઝ (ઓએનોથેરા લેમાર્કિઆના) પર પ્રયોગ કર્યો
- લક્ષણમાં નવું વૈવિધ્ય એટલે કે નવાં લક્ષણો એકાએક અસ્તિત્વમાં આવે છે .
- આવું આકસ્મિક વૈવિધ્ય વિકૃતિ કહેવાય છે .
- વિકૃતિ એક વખત સર્જાયા બાદ તરત જ તે સ્થાયી અને છે અને ત્યારપછી તે પેઢી - દર પેઢી સતત જોવા મળે છે .
- વિકૃતિ એકસાથે મોટા ભાગના સજીવોમાં સર્જાય છે, આવું વારંવાર થાયે છે
- આથી નૈસર્ગિક પસંદગીની તકો સુધરે છે .
- વિકૃતિ કોઈ નિશ્ચિત દિશામાં થતી નથી .
- વિકૃતિ અનેક વિવિધતાઓ સર્જે છે, આ રીતે એક કે બીજું લક્ષણ બદલાતું રહે છે .
- તે દ્વારા લક્ષણ વિકસે અથવા અદશ્ય થાય .
નીઓડારવિનીઝમ - ઉદવિકાસ ની આધુનિક સંકલ્પના
નીઓડારવિનીઝમ ના મુદ્દા
- જનીનીક ભિન્નતા
- નૈસર્ગીક પસંદગી
- વિકૃતિ - તે બે પ્રકારે થાય છે રંગસૂત્રકીય અને જનિનિકીય
- રંગસૂત્રીય વિકૃતિ બે રીતે થાય છે
- સંખ્યાકીય વિકૃતિ
- રંગસૂત્ર ની સંખ્યાકીય
- એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી પ્રકારે છે
- એન્યુપ્લોઇડી મા ચોક્કસ રંગસૂત્રોની જોડમાં રંગસૂત્ર ની સંખ્યા વધે અથવા ઘટે છે
- અને યુપ્લોઇડી મા રંગસૂત્ર ના સંપૂર્ણ સેટ મા બદલાવ જોવા મળે છે
- રંગસૂત્રની રચનાકીય વિકૃતિ મા લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થાનાંતરણ થાય છે
- જનીનીક વિકૃતિ મા ન્યુક્લીઓટાઈડ નો ઉમેરાવુ અને બાદ થવાંથી થાય છે
- સંકરણ
- બે અલગ અલગ જાતિઓ વચ્ચે સંકરણ થી ભિન્નતા
- જનીનીક ડ્રિફ્ટ
- વસતીમાંથી જનીનોનું લુપ્ત થવું
- પુનઃસંયોજન
- અર્ધીકરણ દરમ્યાન જનીનોની અદલાબદલી (વ્યતીકરણ )
નૈસર્ગીક પસંદગી
- નૈસર્ગીક પસંદગીથી સજીવને યોગ્ય અનુકૂલન મળે છે
- અને સજીવો અનુકૂલિત સંતતિ સર્જી શકે છે
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
BIOLOGY NEET MATERIAL IN GGUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box