પક્ષ્મો
- નાના વાળ જેવી રચના ( 5-10 માઇક્રો મીટર )
- તે ઘણી બધી સંખ્યામાં હોય છે
- તે બધીજ બાજુ જોવા મળે છે
- તે બે રીતે હલનચલન કરી શકે છે
- સિન્ડ્રોનસ - ઉભા
- મેટાક્રોનસ - આડા તે રોવિંગ ક્રિયાવિધિથી હલનચલ કરે છે.
- તે બે પ્રકારની હોય છે
- કાયનોસિલિયા - ચલિત
- તે શ્વાસનળી માં , ફેલોપિયન નલિકામાં, કિડની ની નલિકાઓમાં હોય છે
- સ્ટીરીઓ સિલિયા - અચલિત
- તે સંવેદાંગોમાં જોવા મળે છે દા.ત જીભમાં સ્વાદાંકુરો
- પક્ષ્મો નું કાર્ય પ્રચલન ( પેરામિશિયમ ) અને ખોરાક ને ગ્રહણ કરવાનું અને સંવેદી અંગ તરીકે વર્તે છે.
કશા
- લાંબી રચના છે ( 150 માઇક્રો મીટર )
- તે એક થી થોડી હોય છે
- તે આગળની બાજુ જોવા મળે છે
- તે મુક્ત રીતે હલન ચલન કરી શકે છે
- તેમાં ઓડ્યુલેટિંગ હલનચલ ની ક્રિયા વિધિ જોવા મળે છે એટલે કે સર્પાકાર.
- બે પ્રકારની હોય છે
- વહીપ્લાસ્ટ પ્રકાર જે સામાન્ય પ્રકાર છે.
- ટિન્સેલ પ્રકાર તે બદામી લીલના બીજાણુ માં જોવા મળે છે.
- કશા નું કાર્ય પ્રચલન માટે છે
પક્ષ્મ અને કશાની આંતરિક રચના
- પક્ષ્મ અથવા કશા દ્વારા કોષરસપટલ / પટલ આવરિત હોય છે.
- તેમના મધ્યના ભાગને કેન્દ્ર અથવા એક્ઝોનમ કહે છે.
- તેમાં લાંબા અને અનુસરીને સમાંતરે / સમાન અંતરે સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાયેલી હોય છે.
- એકસોનેમમાં નવ સૂક્ષ્મ નલિકાઓ યુગ્ય રીતે પરિઘવ રીતે ત્રિજ્યાથી ગોઠવાયેલ હોય છે અને મધ્યમાં બે સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે.
- તેને મધ્યવર્તી સૂક્ષ્મ નલિકાઓ કે એક્સોનેમલ સૂક્ષ્મ નલિકાઓ કહે છે.
- ગોઠવણી 9 + 2 તરીકે જાણીતી છે.
- મધ્યવર્તી નલિકાઓ સેતુ દ્વારા જોડાય અને મધ્યવર્તી કવચ દ્વારા તેઓને પણ આવરિત કરે છે કે જેઓ નલિકાઓમાંની એક સાથે પરિઘવર્તી યુમ્નલિકા સાથે અરીય તંતુ દ્વારા જોડાણ / ત્રિજ્યાવર્ત તંતુ દ્વારા જોડાણ ધરાવે છે.
- પરિઘવર્તી યુમ્નલિકાઓ પણ એકબીજા સાથે જોડાયેલ હોય છે.
- પક્ષ્મ અને કશાની હલનચલન પદ્ધતિમાં તફાવત હોય છે .
- મધ્યમા આવેલ C1 અને C2 નલિકા બન્નડાયનીન પ્રોટીન મા બન્નેલા હોય છે
- 9 પરિઘવતી નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીન ની બનેલી છે
- બાહ્ય અને આંતરિક આર્મ એ પણ ડાયનીન પ્રોટીન ના બનેલા હોય છે
- ત્રિજ્યાવતી તંતુઓ ઘાટ પદાર્થ ના બનેલા છે
- કોઈનોસિલિયા - ચલિત - 9 + 2 સ્ટીરીઓસિલિયા - અચલિત - 9 + 0
તારાકેન્દ્રો
- સુકોષકેન્દ્રીય કોષોના કોષરસમાં બે નળાકાર દંડ જેવા આકારની સૂક્ષ્મ નલિકાઓયુક્ત રચના કોષકેન્દ્રની નજીકમાં આવેલી હોય છે,જેને તારાકેન્દ્ર કહે છે.
- તારાકેન્દ્રો સીમાંતક પટલ ધરાવતા નથી અને કેટલીક વાર કોષ વિભાજન સમયે મધ્યમાં આયોજિત સૂક્ષ્મ નલિકા ઉદ્ભવે અને DNA અને RNA ધરાવે છે.
- કેટલીક વાર કોષરસ પટલની નીચે પહ્મલ કોષોમાં અથવા કશાધારી કોષો અનુક્રમે પક્ષ્મ અને કાના નિર્માણમાં પણ ભાગ લે છે.
- તારાકેન્દ્રો સામાન્ય રીતે જોડમાં ઉદ્દભવે છે.
- તારાકેન્દ્રોની જોડને ડીપ્લોસોમ કહે છે.
- તેઓ થોડાક જથ્થામાં ચોક્કસ રીતે ગોઠવાય છે.
- કોષીય અન્ય અંગિકાઓ વગર જ્યારે કોષરસને અભિરંજિત કરવામાં આવે.
- તો તેને સેન્ટ્રોસ્ફીયર અથવા કીનોપ્લાઝમ અથવા સાયટોસેન્ટ્રપ કહેવાય છે
- તારાકેન્દ્રો અને તારાવર્તુળ (સેન્ટ્રોસ્ફીયર ભેગા મળી તારાવર્તુળ ( સેન્ટ્રોઝોમ ) બનાવે છે
- તારાકેન્દ્રમાં પરિવર્તી તંતુઓ સ્વરૂપે નવ નલિકા તંત્રો હોય છે.
- મધ્યમાં તંતુ કે નલિકાનો અભાવ હોય છે.
- પ્રત્યેક નલિકાતંત્ર ત્રણ ઉપ સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે,જે ત્રેખડ કહે છે.ત્રેખડ નલિકાતંત્રમાં ત્રણેય સૂક્ષ્મ નલિકાઓ એકબીજાને 40 ° ગોઠવાયેલ હોય છે.
- તારાકેન્દ્રની મધ્યની રચનામાં પ્રોટીનનો બનેલો મધ્યસ્થ દંડ આવેલો હોય છે,જેને પ્રોટીનયુક્ત હબ કહે છે.
- પ્રત્યેક નલિકાતંત્ર ત્રિજ્યાવતી તંતુ દ્વારા પ્રોટીનયુક્ત હબ સાથે જોડાય છે.
- આથી ગાડાના પૈડા જેવી રચના બને છે.
- આવી ગોઠવણને 9 + 0 ની ગોઠવણી કહે છે .
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box