કોષરસિય કંકાલ
- કોષરસ મા હાજર એવા પ્રોટીનયુક્ત તંતુઓ દ્વારા સર્જાયેલ જાળીરચનાને કોષરસીય કંકાલ તરીકે ઓળખવામાં આવે છે.
- કોષરસિય કંકાલ કોષના ઘણાં કાર્યોમાં ભાગ લે છે.
- જેમ કે, યાંત્રિક આધાર , પ્રચલનશીલતા , કોષના આકારની જાળવણી વગેરે.
- કોષરસીય કંકાલ ત્રણ પ્રકારના છે
- સૂક્ષ્મ તંતુઓ
- મધ્યવર્તી તંતુઓ
- સૂક્ષ્મ નલિકાઓ
- તેઓ તંતુસ્વરૂપે કોષરસમાં જાળીરૂપે પથરાય.
- તે સળિયા જેવી મજબૂત રચના છે
- તે એક્ટિન પ્રોટીન અને કેટલીક વાર થોડાક પ્રમાણ માં માયોસિન થી બનેલી છે.
- તેનું સ્થાન રસાંકુરો , કોષરસ , અને સ્નાયુમાં હોય છે .
- તે કોષના આકારની જાળવણી, વહનશીલતા, રંગસૂત્રીય દ્રવ્યોનું વહન , રંગસૂત્રોનું વિભાજન વગેરે કાર્યો કરે છે.
મધ્યવર્તી તંતુઓ
- તેઓ તંતુસ્વરૂપે કોષરસમાં વસાહતી રૂપે પથરાય.
- તે વિશિષ્ટ સ્થિતિસ્થાપક ઇલેસ્ટીન પ્રોટીન ધરાવે છે.
- તેઓ વસાહતી સ્વરૂપે એકઠા થઈ છાબ / છાબડી / Basket જેવી રચના બનાવી અંગિકાને આધાર આપી તેની કાર્યક્ષમતા વધારે છે.
- તેઓ નલિકા સ્વરૂપે અંગ સાથે ગોઠવાય.
- પોલી રચના છે.
- તે ટ્યુબ્યુલિન પ્રોટીન થી બનેલી છે.
- તેનું સ્થાન કશા, પક્ષ્મો, તલકાય, ત્રાક તંતુઓમાં, એસ્ટર ત્રાક માં , શુક્રકોષ ની પૂંછડી ના તંતુમાં હોય છે .
- તે ફ્લેજેલિન પ્રોટીન ધરાવે છે.
- તે દ્રવ્યોનું વહન, કોષના આકારની જાળવણી અને કોષરસના પરિભ્રમણમાં ઉપયોગી છે.
રસધાનીઓ
- રસધાની (Vacuoles) શબ્દ Vaccus પરથી આવ્યો છે જેનો અર્થ ખાલી ( empty ) થાય.
- કોથળીઓ જેવી રચના કે જે એક પટલથી આવરિત હોય છે આવરણને ટોનોપ્લાસ્ટ કે રસધાની પટલ કહે છે.
- અને તેમાં કોષીય અવકાશ ધરાવે છે તેવી નિર્જીવ અંગિકાને રસધાનીઓ કહે છે.
- બધા જ પ્રકારના કોષોમાં તે હોય છે, પ્રાણી - કોષોમાં નાના કદમાં હોય છે.
- ફૂગના કોષોમાં મોટા કદમાં તેમજ વનસ્પતિકોષોમાં મોટા કદમાં જોવા મળે છે.
- બેક્ટરિયા માં - અને માઇકોપ્લાઝમા માં ગેરહાજર હોય છે.
- પુખ્ત કોષોમાં લાક્ષણિક રીતે મોટા કદની જોવા મળે છે.
- વનસ્પતિ કોષોમાં કુલ કોષના 90 % જગ્યા રસધાનીથી રોકાયેલ હોય છે.
- અન્નધાની - જે ખોરાક નો સંગ્રહ કરે છે.
- જો ઘન ખોરાક નો સંગ્રહ - ફેગોસાઇટ કહે છે
- જો પ્રવાહી ખોરાક નો સંગ્રહ - પીનોસાઈટ કહે છે
- વાયુધાની - વાયુ સંગ્રહ થયેલો હોય
- આકુંચક રસધાની - મીઠાં પાણીના પ્રજીવો માં જોવા મળે છે.
- જેવા કે અમીબા અને પ્રજીવો તેનું કાર્ય આસૃતિ નિયમન, અને ઉત્સર્જન નું છે.
- ઉત્સર્ગ દ્રવ્યો જે નીપજો સ્વરૂપે હોય તે સાથે વિવિધ દ્રવ્યોનો સંગ્રહ કરે છે.
- કોષની આસૃતિની લાક્ષણિકતા માટેનું મુખ્ય પ્રદાન ધરાવે છે.
- આશુનતા દબાણ જાળવવાનું
- કોષો ના આકાર જાળવવા અને વિસ્તારવા
- કેટલીક વાર લાયસોઝોમ્સ તરીકે પણ કાર્ય કરી શકે છે.
- તે આકુંચક રસધાનીઓ, અન્નધાનીઓ, વાયુધાનીઓ વગેરે તરીકે કાર્ય કરે છે.
- અમીબામાં આકુંચક રસધાની ઉત્સર્જન માટે મહત્ત્વપૂર્ણ હોય છે.
સુક્ષ્મકાયો
- સ્ફીરોઝોમ , ગ્લાયોકસીઝોમ , પેરૉક્સિઝોમ બધીજ સૂક્ષ્મ કાય રચનાઓ સુકોષકેન્દ્રી કોષ મા જોવા મળે છે.
- અને અંતઃકોષરસમાંથી તેનો ઉદભવ થાય છે.
- ખરબચડી સપાટી ધરાવતી ગોળાકાર અંગિકા કે જે એક આવરણ દ્વારા આવરિત હોય છે,તેને સૂક્ષ્મકાય કહે છે.
- તે છેવટે કણીય સ્વરૂપ ધારણ કરે છે, સંજોગો / પરિસ્થિતિ પ્રમાણે તંતુમય સ્વરૂપે જમા થઈ શકે છે,
- રહોડિને 1954 માં મૂત્રપિંડના નલિકામય કોષોમાં સૌપ્રથમ જોયા.
- સૂક્ષ્મકાયો ત્રણ પ્રકારના છે
- વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે
- તે પેરનર દ્વારા શોધવામાં આવી હતી
- તે હાઈડ્રોલાયટિક એસિડિક ઉલેચકો ધરાવે છે
- તે વનસ્પતિના ભુણપોષ કોષ અને બીજપત્રોમાં જોવા મળે છે
- વનસ્પતિ અને પ્રાણી કોષમાં જોવા મળે છે
- તે રેડીન દ્વારા શોધવામાં આવી હતી
- તે અમીનો એસિડ અથવા યુરિક એસિડનું હાઇડ્રોકાર્બન અને હાયડ્રોક્સી પેરોક્સાઈડ માં રૂપાંતરણ માટે જવાબદાર છે.
- તે અત્યંત ઝેરી હયડ્રોક્સી પેરોક્સાઈડનું રૂપાંતર પાણી અને ઓક્સિજન માં કરે છે.
- વનસ્પતિ કોષમાં જે જોવા મળે છે
- તે બીવર દ્વારા શોધવામાં આવી હતી
- તે બીટા ઓક્સિડેશન માં મદદ કરે છે.
- એટલે કે ચરબીનું કાર્બોદિત માં રૂપાંતરણ માં
- તે વનસ્પતિના એરંડા ના બીજ માં હોય છે .
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box