Type Here to Get Search Results !

કોષરસિય કંકાલ | રસધાની | સૂક્ષ્મકાયો | MANISH MEVADA

0
કોષરસિય કંકાલ

  • કોષરસ મા હાજર એવા પ્રોટીનયુક્ત તંતુઓ દ્વારા સર્જાયેલ જાળીરચનાને કોષરસીય કંકાલ તરીકે ઓળખવામાં આવે છે.
  • કોષરસિય  કંકાલ કોષના ઘણાં કાર્યોમાં ભાગ લે છે.
  • જેમ કે, યાંત્રિક આધાર , પ્રચલનશીલતા , કોષના આકારની જાળવણી વગેરે.
  • કોષરસીય કંકાલ ત્રણ પ્રકારના છે
  • સૂક્ષ્મ તંતુઓ
  • મધ્યવર્તી તંતુઓ
  • સૂક્ષ્મ નલિકાઓ

સૂક્ષ્મ તંતુઓ
  • તેઓ તંતુસ્વરૂપે કોષરસમાં જાળીરૂપે પથરાય.
  • તે સળિયા જેવી મજબૂત રચના છે
  • તે એક્ટિન પ્રોટીન અને કેટલીક વાર થોડાક પ્રમાણ માં માયોસિન થી બનેલી છે.
  • તેનું સ્થાન રસાંકુરો , કોષરસ , અને સ્નાયુમાં હોય છે .
  • તે કોષના આકારની જાળવણી, વહનશીલતા, રંગસૂત્રીય દ્રવ્યોનું વહન , રંગસૂત્રોનું વિભાજન વગેરે કાર્યો કરે છે.
મધ્યવર્તી તંતુઓ
  • તેઓ તંતુસ્વરૂપે કોષરસમાં વસાહતી રૂપે પથરાય.
  • તે વિશિષ્ટ સ્થિતિસ્થાપક ઇલેસ્ટીન પ્રોટીન ધરાવે છે.
  • તેઓ વસાહતી સ્વરૂપે એકઠા થઈ છાબ / છાબડી / Basket જેવી રચના બનાવી અંગિકાને આધાર આપી તેની કાર્યક્ષમતા વધારે છે.
સૂક્ષ્મ નલિકાઓ
  • તેઓ નલિકા સ્વરૂપે અંગ સાથે ગોઠવાય.
  • પોલી રચના છે.
  • તે ટ્યુબ્યુલિન પ્રોટીન થી બનેલી છે.
  • તેનું સ્થાન કશા, પક્ષ્મો, તલકાય, ત્રાક તંતુઓમાં, એસ્ટર ત્રાક માં , શુક્રકોષ ની પૂંછડી ના તંતુમાં હોય છે .
  • તે ફ્લેજેલિન  પ્રોટીન ધરાવે છે.
  • તે દ્રવ્યોનું વહન, કોષના આકારની જાળવણી અને કોષરસના પરિભ્રમણમાં ઉપયોગી છે.
રસધાનીઓ
  • રસધાની (Vacuoles) શબ્દ Vaccus પરથી આવ્યો છે જેનો અર્થ ખાલી ( empty ) થાય.
  • કોથળીઓ જેવી રચના કે જે એક પટલથી આવરિત હોય છે આવરણને ટોનોપ્લાસ્ટ કે રસધાની પટલ કહે છે.
  • અને તેમાં કોષીય અવકાશ ધરાવે છે તેવી નિર્જીવ અંગિકાને રસધાનીઓ કહે છે.
  • બધા જ પ્રકારના કોષોમાં તે હોય છે, પ્રાણી - કોષોમાં નાના કદમાં હોય છે.
  • ફૂગના કોષોમાં મોટા કદમાં તેમજ વનસ્પતિકોષોમાં મોટા કદમાં જોવા મળે છે.
  • બેક્ટરિયા માં - અને માઇકોપ્લાઝમા માં ગેરહાજર હોય છે.
  • પુખ્ત કોષોમાં લાક્ષણિક રીતે મોટા કદની જોવા મળે છે.
  • વનસ્પતિ કોષોમાં કુલ કોષના 90 % જગ્યા રસધાનીથી રોકાયેલ હોય છે.

રસધાની ના પ્રકાર
  • અન્નધાની - જે ખોરાક નો સંગ્રહ કરે છે.
  • જો ઘન ખોરાક નો સંગ્રહ - ફેગોસાઇટ કહે છે 
  • જો પ્રવાહી ખોરાક નો સંગ્રહ - પીનોસાઈટ કહે છે 
  • વાયુધાની - વાયુ સંગ્રહ થયેલો હોય
  • આકુંચક રસધાની - મીઠાં પાણીના પ્રજીવો માં જોવા મળે છે.
  • જેવા કે અમીબા અને પ્રજીવો તેનું કાર્ય આસૃતિ નિયમન, અને ઉત્સર્જન નું છે.
કાર્યો
  • ઉત્સર્ગ દ્રવ્યો જે નીપજો સ્વરૂપે હોય તે સાથે વિવિધ દ્રવ્યોનો સંગ્રહ કરે છે.
  • કોષની આસૃતિની લાક્ષણિકતા માટેનું મુખ્ય પ્રદાન ધરાવે છે.
  • આશુનતા દબાણ જાળવવાનું
  • કોષો ના આકાર જાળવવા અને વિસ્તારવા 
  • કેટલીક વાર લાયસોઝોમ્સ તરીકે પણ કાર્ય કરી શકે છે.
  • તે આકુંચક રસધાનીઓ, અન્નધાનીઓ, વાયુધાનીઓ વગેરે તરીકે કાર્ય કરે છે.
  • અમીબામાં આકુંચક રસધાની ઉત્સર્જન માટે મહત્ત્વપૂર્ણ હોય છે.
સુક્ષ્મકાયો
  • સ્ફીરોઝોમ , ગ્લાયોકસીઝોમ , પેરૉક્સિઝોમ બધીજ સૂક્ષ્મ કાય રચનાઓ સુકોષકેન્દ્રી કોષ મા જોવા મળે છે.
  • અને અંતઃકોષરસમાંથી તેનો ઉદભવ થાય છે.
  • ખરબચડી સપાટી ધરાવતી ગોળાકાર અંગિકા કે જે એક આવરણ દ્વારા આવરિત હોય છે,તેને સૂક્ષ્મકાય કહે છે.
  • તે છેવટે કણીય સ્વરૂપ ધારણ કરે છે, સંજોગો / પરિસ્થિતિ પ્રમાણે તંતુમય સ્વરૂપે જમા થઈ શકે છે,
  • રહોડિને  1954 માં મૂત્રપિંડના નલિકામય કોષોમાં સૌપ્રથમ જોયા.
  • સૂક્ષ્મકાયો ત્રણ પ્રકારના છે
સફિરોઝોમ
  • વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે
  • તે પેરનર દ્વારા શોધવામાં આવી હતી
  • તે હાઈડ્રોલાયટિક એસિડિક ઉલેચકો ધરાવે છે
  • તે વનસ્પતિના ભુણપોષ કોષ અને બીજપત્રોમાં જોવા મળે છે
પેરોક્સિઝોમ્સ
  • વનસ્પતિ અને પ્રાણી કોષમાં જોવા મળે છે
  • તે રેડીન દ્વારા શોધવામાં આવી હતી
  • તે અમીનો એસિડ અથવા યુરિક એસિડનું હાઇડ્રોકાર્બન અને હાયડ્રોક્સી પેરોક્સાઈડ માં રૂપાંતરણ માટે જવાબદાર છે.
  • તે અત્યંત ઝેરી હયડ્રોક્સી પેરોક્સાઈડનું રૂપાંતર પાણી અને ઓક્સિજન માં કરે છે.
ગ્લાયોક્સિઝોમ
  • વનસ્પતિ કોષમાં જે જોવા મળે છે 
  • તે બીવર દ્વારા શોધવામાં આવી હતી
  • તે બીટા ઓક્સિડેશન માં મદદ કરે છે.
  • એટલે કે ચરબીનું કાર્બોદિત માં રૂપાંતરણ માં
  • તે વનસ્પતિના એરંડા ના બીજ માં હોય છે .

===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

0 Comments

Below Post Ad