આદિકોષકેન્દ્રીય કોષ
- આદિકોષકેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક સમાન હોય છે.
- બધા જ આદિ કોષકેન્દ્રીય કોષમાં કોષરસપટલની ફરતે કોષદીવાલ આવેલી હોય છે.
- કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એ કોષરસ છે.
- તેમાં સ્પષ્ટ કોષકેન્દ્રનો અભાવ હોય છે.
- આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત્ત એટલે કે કોષકેન્દ્ર પટલથી આવૃત્ત હોતું નથી.
- ઘણા બધાં બેકટેરિયામાં આનુવંશિક DNA ઉપરાંત એકલ રંગસૂત્ર / વલયાકાર DNA ) વધારાનું નાનું વલયાકાર DNA જોવા મળે છે જેને પ્લાઝમિડ કહેવાય છે.
- આ પ્લાઝમિડ DNA બૅક્ટરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે.
- આવું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ હોવો તે છે.
- આ પ્લાઝમિડ DNA બૅક્ટરિયામાં બાહ્ય ( પરજાત ) DNA સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે.
- કોષકેન્દ્રપટલ માત્ર સુકોષકેન્દ્રીય કોષમાં જોવા મળે છે.
- રિબોઝોમ્સ સિવાય આદિકોષકેન્દ્રીય કોષમાં સુકોષકેન્દ્રીય કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી. આદિકોષકેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે.
- કોષરસપટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના મેસોઝોમ્સ એ આદિકોષકેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે
- મેસોઝોમ્સ એ કોષરસપટલનું આવશ્યક અંતર્વલન છે .
કોષીય આવરણો અને તેના રૂપાંતરણ
- મોટા ભાગના પ્રોકેરિયોટિક કોષ જટિલ આવરણયુક્ત રાસાયણિક બંધારણ ધરાવતા ચોક્કસપણે બૅક્ટરિયલ કોષો છે
- કોષ આવરણ ચુસ્તપણે ત્રણ સ્તરોની સંરચના ધરાવે છે .
- સૌથી બહારનું સ્તર ગ્લાયકોકેલિકસ બનેલું
- દ્વિતીય તર કોષદીવાલ
- સૌથી અંદરનું સ્તર કોષરસપટલ છે .
- ગ્લાયકોલિકેલીક્સ જુદા જુદા બૅક્ટરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે જુદુ જુદુ હોય છે.
- કેટલાક બૅક્ટરિયામાં આ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે જેને શ્લેષ્મ સ્તર કહે છે.
- જ્યારે કેટલાક બૅક્ટરિયામાં આ સ્તર જાડુ અને મજબૂત હોય છે જેને કેપ્સુલ કહે છે.
- બેકટેરિયલ કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી છે.
- ગ્રામ વૈજ્ઞાનિક દ્વારા વિકસાવેલી અભિરંજક પદ્ધતિના પ્રતિચારને આધારે બે પ્રકાર છે.
- જે ગ્રામ અભિરંજકને ગ્રાહી કરે અથવા અભિરંજિત થાય તેને ગ્રામ પોઝિટિવ
- જે અભિરંજકને ગ્રાહી ન કરે તેને ગ્રામ નેગેટિવ બૅક્ટરિયા કહે છે.
- ગ્રામ પોઝિટિવ બૅક્ટરિયા ઘણા સ્તરો ધરાવે છે, જે પેપ્ટીડોગ્લાયકેન ધરાવે છે,
- નેગેટિવ બૅક્ટરિયા પાતળી કોષદીવાલ ધરાવે છે જે થોડાક જ પેપ્ટીડોગ્લાયકેનયુક્ત સ્તરોથી આવરિત હોય છે,
- બીજા લિપિડયુક્ત લાયપોપોલિસેકેરાઇડ અને લાયપોપ્રોટીન ધરાવે છે.
- કોષદીવાલ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે.
- જે બૅક્ટરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે.
- કોષરસપટલ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે.
- બંધારણની દૃષ્ટિએ આ પટલ સુકોષકેન્દ્રીઓમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે.
- કેટલાક આદિકોષકેન્દ્રી કોષ જેવા કે સાયનો બેકટેરિયાનાં કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે જેને ક્રોમેટોફોર કહેવાય છે જે રંજકદ્રવ્યો ધરાવે છે.
- મેસોઝોમ - કોષના કોષરસપટલમાંથી ઉદભવેલ અંત : પ્રવર્થોની ચોક્કસ રચના ધરાવે છે, જે શ્વસન ઉન્સેચકો ધરાવે છે, તેને મેસોઝોમ કહે છે.
- તેઓ કોષદીવાલના નિર્માણ, DNA નું રેપ્લિકેશન અને બાળકોષોની વહેંચણી માટે મદદરૂપ છે, તેઓ શ્વસનમાં પણ મદદરૂપ થાય છે, કોષરસપટલના વિસ્તારમાં વધારો તેમજ ઉન્સેચકયુક્તનો સાવ કરે છે.
- ગ્રામ –Ve બૅક્ટરિયામાં ફર્ટિલિટી ફેક્ટર અથવા FF માંથી વિકસતી બહિવૃદ્ધિ પામતી નળાકાર જાડી રચનાને પીલી કહે છે.જેથી તેઓને લિંગી પીલી પણ કહે છે.
- તેઓ ગ્રાહી કોષ સાથે સંયુગ્મન નલિકામય નિર્માણમાં મદદરૂપ થાય છે.
- પિલિ લંબાયેલ નલિકાકાર સંરચના હોય છે, જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલ હોય છે
- ફિમ્બ્રિ કોષ પરથી ઉદ્ભવેલ નાની - નાની તંતુમય રચનાઓ છે.
- ફિમ્બિઓ ઘણી મોટી સંખ્યામાં ઉદ્ભવે છે.
- તેઓ બેંકટેરિયાના કોષમાં આવેલ ઘન સપાટી અથવા યજમાન પેશીઓ અથવા તલકાયમાંથી ઉદ્ભવે છે .
- કેટલાક બૅક્ટરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે.
- બેકટેરિયલ કોષો ચલિત કે અચલિત હોય છે . જો ચલિત હોય તો તેઓની કોષદીવાલ પરથી ઉદ્ભવેલ પાતળી તંતુમય રચના જોવા મળે છે, જેને કશા કહેવાય છે.
- જુદા જુદા બૅક્ટરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા જુદી જુદી હોય છે.
- બૅક્ટરિયાની કશા ત્રણ ભાગોથી બનેલ હોય છે જેવી કે
- તંતુ
- અંકુશ
- તલકાય
- તંતુ એ કશાની સૌથી મોટી રચના છે કે જે કોષસપાટીથી બહારની તરફ લંબાયેલ હોય છે.
- કશા સિવાય પિલિ અને ફિમ્બ્રિ બૅક્ટરિયાની સપાટીય રચનાઓ છે, પરંતુ તે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી.
- આદિકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કોષરસપટલ સાથે સંકળાયેલ હોય છે.
- જે 15 mm થી 20 mm સુધીનું કદ ધરાવે છે અને 50 s અને 30 s એમ બે પેટા એકમનાં બનેલા હોય છે.
- બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈને 70 s આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સ બનાવે છે.
- રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે.
- કોઈ એક m - RNA સાથે એક કરતા વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહે છે.
- ભાષાંતર દ્વારા m - RNA ની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે.
- આદિકોષકેન્દ્રી કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે.
- આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલ હોતી નથી અને કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલ હોય છે.
- ઉદા . ફૉસ્ફટ કણિકાઓ, સિયાનોફાયસિયન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ.
- નીલરહિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયામાં વાયુન રસધાનીઓ પણ જોવા મળે છે .
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
jordar
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box