Type Here to Get Search Results !

વાનસ્પતિક પ્રજનનની કુદરતી અને કુત્રિમ પદ્ધતિ | Biology NEET | Manish Mevada

0

વનસ્પતિ પ્રજનનની કુદરતી પદ્ધતિઓ

  • વનસ્પતિમાં પ્રસર્જનની કુદરતી પદ્ધતિઓમાં અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ માતૃ વનસ્પતિમાંથી નવા છોડનો વિકાસ થવાની પદ્ધતિ ખૂબ સામાન્ય છે.
  • મૂળ, પ્રકાંડ, પર્ણ અથવા પુષ્પમાંથી આવા વિશિષ્ટ પ્રજનનઅંગો વિકસે છે.
મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન

  • શક્કરિયું, શતાવરી અને ડહાલિયા જેવી વનસ્પતિમાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે.
પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન

  • આદુ, હળદર, સૂરણ, બટાકા અને ડુંગળીમાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે.
પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન

  • પાનફૂટી ( બાયોફ્રાયલમ ) જેવી વનસ્પતિનાં પર્ણોની કિનાવાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓરીઓ પર કલિકાઓ વિકસે છે.
  • આ કલિકાઓ નવા છોડનું સર્જન કરે છે.
પ્રકલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન

  • રામબાણ અને અબુટિ જેવી વનસ્પતિઓમાં પુષ્પકલિકાઓ અને કનક માં કક્ષકલિકાઓ નવા છોડનું સર્જન કરે છે 
  • સર્જન કરે છે.
વનસ્પતિક પ્રજનનની અન્ય કુદરતી પદ્ધતિ :

  • ભૂસ્તારી : દુર્વાદાસ , વિરોહ : હંસરાજ
  • ભૂસ્તારિકા : જળશૃંખલા , અધોભૂસ્તારી : ફુદીનો
વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ
  • વનસ્પતિનાં અંગોનો કોઈ એક ભાગ લઈને તેમાંથી નવો પૂર્ણ છોડ મેળવવાની વનસ્પતિ પ્રસર્જન માટેની કૃત્રિમ પદ્ધતિઓ પણ વિક્સાવાઈ છે.
  • આવી પદ્ધતિઓમાં કલમ કરવી , દાબકલમ અને આરોપણ ખૂબ સામાન્ય પદ્ધતિઓ છે.
કલમ કરવી
  • મૂળ દ્વારા
  • મૂળના ટુકડાને કાપી ભેજવાળી જમીનમાં ખૂપાવીને કૃત્રિમ રીતે અસ્થાનિક મૂળસર્જન પ્રેરી શકાય છે.
  • આ રીતે લીંબુ અને આમલીમાં નવો છોડ વિકસાવાય છે.
  • પ્રકાંડ દ્વારા
  • ગુલાબ, શેરડી, શેવંતી, ચીની ગુલાબ અને ગુલદાઉદીમાં યોગ્ય માપના પ્રકાંડ ટુકડા કાપીને ભેજવાળી જ મીનમાં ખૂપાવીને નવા છોડ વિકસાવાય છે.
  • પ્રકાંડના ભૂમિગત ભાગમાંથી અસ્થાનિક મૂળ વિકસે છે અને પ્રકાંડના હવાઈ ભાગ પર આવેલી કલિકાઓમાંથી નવી કુંપળો ફૂટે છે, આ પ્રકારે તૈયાર થયેલા નવા છોડને કલમ કરવી કહે છે.
  • ત્યાર બાદ આ ક્લમોનું યોગ્ય જગ્યાઓ પર પ્રત્યારોપણ કરવામાં આવે છે.
દાબકલમ
  • ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ અને જુઈના ઉછેરમાં આ પદ્ધતિ સામાન્ય રીતે વપરાય છે.
  • વનસ્પતિની જમીનની સપાટી તરફ આવેલી નીચલી ડાળીઓને વાળીને જમીનમાં એવી રીતે દબાવાય છે કે જેથી ડાળીનો ટોચનો ભાગ જમીનની બહાર રહે અને વચ્ચેનો વિસ્તાર ભૂમિમાં દબાયેલો રહે.
  • ભૂમિમાં દબાયેલા ભાગના પ્રકાંડ પરથી અસ્થાનિક મૂળ સર્જાય,ત્યાર પછી આ ડાળીને પિતૃછોડથી કાપીને અલગ કરવામાં આવે છે,આ રીતે નવો છોડ પ્રાપ્ત થાય છે .
આરોપણ
  • જે વનસ્પતિઓમાં મૂળ સરળતાથી ઉત્પન્ન થતાં ન હોય અથવા તો નબળું મૂળતંત્ર ધરાવતી હોય એવી વનસ્પતિઓમાં આરોપણ કરવામાં આવે છે.
  • આ પદ્ધતિમાં એક જ જાતિની કે બે અલગ અલગ જાતિની વનસ્પતિ વચ્ચે સંયોજન સ્થાપિત કરવામાં આવે બે વનસ્પતિની પેશીઓ વચ્ચે આવું સંયોજન સ્થપાય છે.
  • ખાસ કરીને જે વનસ્પતિ વર્ધમાન પેશી ધરાવતી હોય તેમાં આ પ્રક્રિયા વધુ સફળતાપૂર્વક પ્રેરી શકાય છે.
  • સ્ટૉક
  • જે વનસ્પતિ મુખ્ય આધાર પૂરો પાડે તેને સ્ટૉક કહે છે.
  • સાયોન
  • સ્ટૉક પર જે વનસ્પતિનું આરોપણ કરવામાં આવે તેને સાયોન કહે છે.
  • ઉચ્ચ અને ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિને સાયોન તરીકે પસંદ કરાય છે.
  • સ્ટૉક પર સાયોનને સ્થાપિત કરવાની વિવિધ રીતો હોય છે.
  • આંબો , સફરજન , નાસપતિ , લીંબુ , જામફળ , લીચી અને અન્ય ઘણાં ફળો માટે ઉપયોગી વનસ્પતિની ઉચ્ચ જાતિઓ આ પ્રકારે પ્રાપ્ત કરવામાં અને જાળવવામાં આવે છે.
  • બે ભાગોના જોડાણની પદ્ધતિ આધારિત આરોપણના વિવિધ પ્રકારો છે
  • કલિકા આરોપણ
  • ખૂટી આરોપણ
  • જિહુવા આરોપણ
  • ફાચર આરોપણ
  • તાજ આરૌપણ

===========================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

0 Comments

Below Post Ad