કોષવિભાજન ના પ્રકાર
- કોષવિભાજન ત્રણ પ્રકારે થાય છે
- અસમભાજન
- સમભાજન
- અર્ધીકરણ
- જેને સીધું વિભાજન પણ કહે છે.
- જેમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે કોષકેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન
- કોષકેન્દ્ર વિભાજન
- આ વિભાજન માં ત્રાક તંતુઓ નું નિર્માણ થતું નથી.
- કોષકેન્દ્ર પટેલ નું વિઘટન થતું નથી
- કોષકેન્દ્ર નું સંકોચન દ્વારા વિભાજન થાય છે.
- કોષરસ વિભાજન
- કોષરસ વિભાજન પણ સંકોચન થાય છે
- બે અસમાન કદના કોષો વિભાજન થાય છે.
- માટે અસમભાજન કહેવામાં આવે છે.
- ઉદાહરણ
- બેક્ટેરિયા ના કોષો
- યીસ્ટ ના કોષો
- કાસ્થિ ના કોષો
- ભ્રુણ પોષ ના કોષો
- રોગી કોષો
સમભાજન
- સ્ટ્રેસબર્ગર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ મા કોષવિભાજન જોયું
- ફ્લેમિંગે પ્રાણી મા કોષવિભાજન જોયું
- સમભાજન શબ્દ પણ ફ્લેમિંગે આપ્યો
- સમભાજન એકકીય ( n ) કોષો અને દ્વિકીય ( 2n ) કોષો માં થઇ શકે છે
- જનન અધિચ્છદ ના કોષોમાં પણ સમભાજન થઇ શકે છે .
- કોષચક્ર માં કુલ 24 કલાક માં કોષચક્ર થાય એમાંથી 1 જ કલાક સમભાજન થાય અને 23 કલાક આંતરાવસ્થા ચાલે
- સમભાજનના તબક્કા
- કોષકેન્દ્ર વિભાજન
- પૂર્વાવસ્થા
- ભાજનાવસ્થા
- ભાજનોત્તરાવસ્થા
- અંત્યાવસ્થા
- કોષરસવિભાજન
- રંગસૂત્ર નું ઘનીકરણ (સંકોચન) થાય.
- કોષકેન્દ્રપટલ, ગોલ્ગી બોડી, અંતઃકોષરસ જાળ વિઘટન થાય
- તારકેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવા લાગે
- એસ્ટર નું નિર્માણ થાય છે.
- ત્રાક તંતુઓનું નિર્માણ ની શરૂઆત થાય છે.
- કોષકેન્દ્ર પટલ ના અદ્રશ્ય થવાની સાથે આ તબક્કા નો પ્રારંભ થાય
- રંગસૂત્રો સ્પષ્ટ જોઈ શકાય છે
- રંગસૂત્રો કોષ ના મધ્ય ભાગ વચ્ચે ગોઠવાય છે
- ત્રાકતંતુઓ, કાઈનેટોકોર સાથે જોડાય છે
ભાજનોત્તરાવસ્થા
- સેન્ટ્રોંમીયર વિભાજન પામી જાય છે.
- બે રંગસૂત્રીકાઓ વચ્ચે બળ સર્જાય છે જેના કારણે રંગસૂત્રીકાઓ એકબીજાથી દૂર બન્ને ધ્રુવ તરફ ગતિ કરે છે.
- ત્રાક તંતુઓનું સંકોચન થાય છે.
- દરેક રંગસૂત્ર ધ્રુવ તરફ ખસવા માટે 30 ATP વપરાશે.
- કોષ કેન્દ્ર પટલ નું નિર્માણ થાય છે
- રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્ય મા ફેરવાઈ વિસ્તરણ પામે છે
- એસ્ટર તંતુ અને ત્રાક તંતુ ઓ અદ્રશ્ય થાય છે
- અને કોષકેન્દ્ર સંપૂર્ણ વિભાજન પામે છે
- કોષકેન્દ્રીકા, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસજાળ નું પુનઃ નિર્માણ થાય છે .
- પ્રાણી કોષમાં કોષવિભાજન એક ઉપસંકોચન ખાંચ થી શરુ થાય છે
- જે પરિઘ થી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય
- અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષ નો કોષ રસ બે ભાગમાં વહેંચાઈ જાય છે.
- વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષદીવાલથી ઘેરાયેલા હોય છે એટલે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે.
- વનસ્પતિ કોષોમાં કોષરસવિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારની (પરિઘ) તરફ પૂર્વ સ્થિત પાર્શ્વ કોષદીવાલ સાથે જોડાઈ જાય છે.
- નવી કોષદીવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે જેને કોષપટ્ટી કહે છે.
- જે બે અત્યંત નજદીક રહેલા કોષોની કોષદીવાલની વચ્ચેના મધ્યપટલને દર્શાવે છે.
- કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રજકણનું બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે.
- કેટલાક સજીવોમાં કોષકેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી.
- જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષકેન્દ્રોનું સર્જન થાય છે
- આવા બહુકોષકેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષકેન્દ્રી કહે છે.
- ઉદા, તરીકે નાળિયેરનો પ્રવાહી ભૂણપોષ
===========================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box