Type Here to Get Search Results !

સમભાજનના પ્રકાર, તુલના, મહત્વ અને અવરોધ | Manish Mevada | Biology

0


સમભાજનના પ્રકાર

  • એનએસ્ટ્રલ સમભાજન - જેમાં સમભાજન એસ્ટર ના નિર્માણ વગર થાય છે દા.ત -વનસ્પતિ કોષ
  • એમ્ફીએસ્ટ્રલ સમભાજન - જેમાં બે એસ્ટ્રલ નું નિર્માણ થાય છે દા.ત - પ્રાણી કોષ
  • આંતરિક કોષકેન્દ્રીય સમભાજન-જેમાં કોષકેન્દ્ર પટલનું વિઘટન થતું નથી જેમાં દ્વિધ્રૂવીય ત્રાકનું નિર્માણ કોષકેન્દ્ર ની અંદર થાય છે દા.ત - કેટલાક પ્રજીવો અને યીસ્ટ
  • એકસ્ટ્રા કોષકેન્દ્રીય સમભાજન - ઉ.દા - પ્રાણી કોષ
  • અંતઃ સમભાજન- જેમાં DNA નું અને રંગસૂત્રો સ્વયંજનન થાય છે પણ સરખા વિભાજન પામી સકતા નથી જેથી પોલી પ્લોઇડી સર્જાય છે ઉ.દા કેટલીક વાર યકૃત કોષોમાં આવું જોવા મળે છે.
  • મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન - જેમાં કોષકેન્દ્ર વિભાજન થાય છે પરંતુ કોષરસ વિભાજન થતું નથી જેને પરિણામે બહુ કોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વમાં આવે છે ઉ.દા - પડદા વિહીન ફૂગ ઓપેલીના
  • ડાઇનોમાઇટોસિસ - જેમાં હિસ્ટોન પ્રોટીન ગેરહાજર હોય છે કોષકેન્દ્ર પટલ વિઘટન થતું નથી સમભાજન ની ક્રિયા કોષકેન્દ્ર માં જ થાય છે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ નું નિર્માણ પણ થતું નથી ઉ.દા પ્રકાશસંશ્લેષણ કરતા પ્રોટિસ્ટ
વનસ્પતિ કોષ અને પ્રાણીકોષમાં સમભાજનની તુલના 
  • પ્રાણીકોષ
  • રચનાકીય - તે તારકાય ધરાવે છે
  • પૂર્વાવસ્થા - તેમાં બે એસ્ટર બને છે
  • ત્રાકતંતુઓનું સંચાલન તારકેન્દ્રો દ્વારા થાય છે
  • ભાજનોત્તરવસ્થા - કોષરસવિભાજન એ ભજનોત્તરવસ્થા'માં શરુ થઇ જાય
  • કોષરસવિભાજન - ઉપસંકોચનથી થાય છે જે પરીઘથી કેન્દ્ર તરફ થાય છે
  • વનસ્પતિ કોષ
  • રચનાકીય - તેમાં તારકાય નથી
  • પૂર્વાવસ્થા - તેમાં એસ્ટર નથી હોતા
  • ત્રાકતંતુઓ તારકેન્દ્ર વગર સ્વયંસંચાલિત થાય છે 
  • ભાજનોત્તરવસ્થા - કોષરસવિભાજન એ ભજનોત્તરવસ્થા માં શરુ થતું નથી
  • કોષરસવિભાજન - તે કેન્દ્ર થી શરુ થાય છે અને પરિઘ તરફ આગળ વધે છે
સમભાજનનું મહત્વ
  • વૃદ્ધિ માટે મહત્વનું છે
  • તે સમારકામ અને પુનઃ નિર્માણ માટે જરૂરી છે
  • તે બધા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખે છે
  • તે અલિંગી પ્રજનન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવે છે
  • કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષકેન્દ્ર અને કોષરસ ની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે એટલા માટે એ જરૂરી થઇ જાય છે કે કોષવિભાજન કોષકેન્દ્ર કોષરસરસ વચ્ચે પ્રમાણ જાળવી રાખે 
સમભાજનનું ઝેર-
  • સમભાજન નું ઝેર એટલે કે એવા પદાર્થો જે સમભાજન ને અટકાવે છે
  • એઝાઇડ અથવા સાઇનાઇડ
  • તે સંભાજનને પુર્વાવસ્થામાં રોકે છે 
  • કોલચીસિન
  • તે સમભાજન ને ભાજનાવસ્થા માં અટકાવે છે 
  • તે ત્રાક તંતુઓનું નિર્માણ થતું અટકા જેના કારણે કોષમાં પોલિપ્લોઇડી નું નિર્માણ પણ થાય છે
  • કોલચીસિન એ કોલ્વિકમ ઓટમનલ વનસ્પતિના પ્રકાંડ માંથી શોધવામાં આવી છે.
  • કાર્બન મોનોકસાઇડ
  • તે ક્રેબ ચક્ર ને અસર કરે છે અથવા અટકાવે છે

===========================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................


Post a Comment

0 Comments

Below Post Ad