Type Here to Get Search Results !

અર્ધીકરણ ના તબક્કા - અર્ધીકરણ - I - પૂર્વાવસ્થા | Phases Of Meiosis - Meiosis - I - Prophase - I

0


👉 Neet Study Material

👉 Free Neet Study Material

👉 Neet Material In Gujarati

👉 Study Material - Neet Biology

👉 Biology Board Material

👉 Neet Examination Question and answer

અર્ધીકરણ - Meiosis 

  • પ્રજનનકોષોના નિર્માણ સમયે અધકરણ પ્રકારે કોષવિભાજન થાય છે.
  • અર્ધીકરણ ક્રિયા દરમિયાન જનનીદ્રવ્ય એક વાર બેવડાય છે અને કોષ બે વાર વિભાજન પામે છે.
  • પ્રથમ વિભાજનને અર્ધીકરણ વિભાજન- I કહે છે
  • આ દરમિયાન રંગસૂત્રો બે કોષોમાં મૂળ સંખ્યા કરતાં અડધી સંખ્યામાં વહેંચાય છે
  • તેથી તેને અર્ધસૂત્રણ કે વિષમ વિભાજન કહે છે
  • બીજા વિભાજનને અધકરણ વિભાજન -I કહે છે.
  • તે દરમિયાન નવા સર્જાતા દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષમાં જોવા મળતી સંખ્યા જેટલી જ હોય છે.
  • તેથી તેને સમસૂત્રણ કહે છે
  • વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધીકરણથી એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે.
  • આ ઉપરાંત એકવિધ જીવનચક્ર દર્શાવતી લીલ વનસ્પતિઓના યુગ્મનજમાં અર્ધીકરણ જોવા મળે છે
  • એક સંપૂર્ણ અર્ધીકરણ અંતે ચાર એકકીય બાળકોષો સર્જાય છે.
અર્ધીકરણ -  પૂર્વાવસ્થા- I
  • આ અવસ્થા લાંબી અને જટિલ અવસ્થા છે
  • તેને પાંચ ઉપઅવસ્થામાં વિભાજિત કરવામાં આવે છે
લેપ્ટોટીન  ( Leptotene )

  • અર્ધીકરણ પૂર્વાવસ્થા - I નો પ્રારંભિક તબક્કો લેપ્ટોટીન છે
  • આ ઉપઅવસ્થામાં રંગતત્ત્વજાળ સંકોચાતાં દરેક રંગસૂત્ર પાતળા તંતુ જેવું દેખાય છે.
  • દરેક રંગસૂત્ર બે એક્લસૂત્રો ( રંગસૂત્રિકાઓ ) અને તેને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે.
  • પરંતુ તેનું બેવડાયેલું સ્વરૂપ જોઈ શકાતું નથી.
ઝાયગોટીન ( Zygotene )

  • આ ઉપઅવસ્થામાં રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે.
  • જોડીઓ રચતાં રંગસૂત્રોને સમજાત રંગસૂત્રો કહે છે.
  • આ અવસ્થાનો વીજાણુ સૂક્ષ્માલેખ દર્શાવે છે કે સમજાત રંગસૂત્રોની જોડમાં ગોઠવણી, સૂત્રયુગ્મન જેવી જટિલ રચનાના નિર્માણ સાથે સંકળાયેલી છે.
  • સમજાત રંગસૂત્રોની દરેક જોડમાં રહેલાં બંને રંગસૂત્રોની એક - એક ઝાયગોટીન રંગસૂત્રિકા દશ્યમાન હોવાથી તેને દ્વિસૂત્રી ( Bivalent ) કહે છે.
  • જોકે ખરેખર તો તે ચતુઃસૂત્રી ( Tetravalent ) હોય છે.
  • સમજાત રંગસૂત્રોની પ્રત્યેક જોડના બે રંગસૂત્રોની અંદરની તરફની રંગસૂત્રિકા એકબીજા સાથે પાશ્વીય જોડાણ શરૂ કરે છે.
  • આ ક્રિયાને સાયનોપ્સિસ ( Synapsis ) કહે છે
  • આ ક્રિયા ઝીપરની જેમ આગળ વધે છે
પેકિટીન ( Pachytene )

  • દ્વિસૂત્રી રંગસૂત્રો વધારે ઘટ્ટ થતાં ચતુઃસૂત્રી રચના બનતા પેકિટીન ઉપઅવસ્થાનો પ્રારંભ થાય રંગસૂત્રોનું સંકોચન થતાં તે ટૂંકાં અને ઘટ્ટ બને છે.
  • દરેક રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ ( સેન્ટ્રોમિયર સિવાયની બાકીની લંબાઈમાં ) એકબીજાથી છૂટી પડે છે.
  • આને રંગસૂત્રોનું આયામ અમે વિધટન દ્વારા વિભાજન પણ કહે છે.
  • તેને કારણે પ્રત્યેક જોડમાં ચાર રંગસૂત્રિકાઓ જોઈ શકાય છે.
  • આ ચાર રંગસૂત્રિકાઓની બનેલી રચનાને ચતુઃસૂત્રી ( Tetravalent ) કહે છે.
  • રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે.
  • પુનઃસંયોજિત ગંઠિકાઓ ( સ્વસ્તિક ચોકડીઓ- Chiasmata ) નું દશયમાન થવું એ આ અવસ્થાની લાક્ષણિક્તા છે.
  • સમજાત રંગસૂત્રોની અંદરની બે રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ ( Crossing over ) સ્થાનને પુનઃસંયોજિત ગંઠિકા કે સ્વસ્તિક ચોકડીઓ કહે છે.
  • વ્યતિકરણથી જનીનોની અદલાબદલી આ સ્થાનોમાં થાય છે
ડિપ્લોટીન ( Diplotene )

  • આ ઉપઅવસ્થાનો ગાળો પ્રમાણમાં લાંબો હોય છે.
  • સમજાત રંગસૂત્રોની જોડીમાંનાં બે રંગસૂત્રોથી એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય છે.
  • જોકે જે - જે સ્થાને વ્યતિકરણ થયું હોય, તે - તે સ્થાને જોડાણ જળવાઈ રહે છે.
  • પરિણામે સ્વસ્તિક ચોકડીઓ વધારે સ્પષ્ટ બને છે.
  • સ્વસ્તિક ચોકડીસ્થાન જનીનોની અદલાબદલીનું સ્થાન સૂચવે છે.
  • સ્વસ્તિક ચોકડીની સંખ્યા રંગસૂત્રોની લંબાઈ પર આધાર રાખે છે.
  • લાંબાં રંગસૂત્રોમાં તેમની સંખ્યા વધારે અને ટૂંકાં રંગસૂત્રોમાં તેની સંખ્યા ઓછી હોય છે .
ડાયકાઇનેસિસ ( Diakinesis )

  • આ તબક્કામાં રંગસૂત્રોનું સંકોચન પૂર્ણ કક્ષાએ પહોંચે છે.
  • સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકા વ્યતિકરણ અને સ્વસ્તિક ચોકડીમાંથી મુક્ત થતી જાય છે.
  • આમ છતાં સમજાત રંગસૂત્રોની જોડ જળવાઈ રહે છે.
  • આ ઉપરાંત , તારાકેન્દ્રના બે એકમો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતર કરે છે
  • તે ધ્રુવ પર પહોંચી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે.
  • ડાયકાઇનેસિસના અંતમાં કોષકેન્દ્રિકા અદશ્ય થાય છે અને કોષકેન્દ્રપટલનું વિઘટન થાય છે .

 =======================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................


Post a Comment

0 Comments

Below Post Ad