Type Here to Get Search Results !

સજીવોમાં પ્રજનન - પ્રસ્તાવના | Manish Mevada

0

સજીવોમાં પ્રજનન - પ્રસ્તાવના 

  • પ્રજનન - સજીવો દ્વારા પોતાના જેવાજ સજીવો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા એટલે પ્રજનન
  • ત્યાર બાદ સંતતિમાં વૃદ્ધિ થાય છે,તે પરિપક્વ બને છે અને તે પણ પોતાની જેવી નવી સંતતિ નિર્માણ કરે છે.
  • તેથી સજીવમાં જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું એક ચક્ર જોવા મળે છે અને પ્રજનનથી પેઢી દર પેઢી જીવસાતત્ય જળવાઈ રહે છે.
  • સમગ્ર જીવાવરણમાં ખૂબ જ વિવિધતા રહેલી છે
  • દરેક સજીવ જાતિ, કદ, આકાર, રચના, સ્વરૂપ અને જીવનશૈલીમાં વૈવિધ્ય ધરાવે છે.
  • દરેક સજીવ સંતતિ ઉત્પન્ન કરવા અને વધવા માટે પોતાનામાં વિશિષ્ટ પ્રક્રિયાઓ સાથે ઉત્પન્ન થયેલો છે.
  • દરેક સજીવ કઈ રીતે પ્રજનન કરશે તેનો આધાર સજીવના નિવાસસ્થાન, તેની આંતરિક દેહધર્મવિદ્યા અને અન્ય પરિબળો પર રહેલો છે.
  • જેમાં તેનો સમય ગાળો અગત્યનો છે
  • એટલે કે જન્મ થી મૃત્યુ સુધી વચ્ચેનો નો સમય ગાળો જેને જીવિતતા સમય ગાળો કહે છે
  • જેમાં અનેક તબ્બકાઓનો સમાવેશ થાય છે .
  • જન્મ
  • જુવેનાઇલ તબક્કો
  • પ્રાજનનિક તબક્કો
  • વૃદ્ધતા
  • મૃત્યુ
  • દરેક સજીવ ફક્ત ચોક્કસ સમયગાળા દરમિયાન જ જીવન પસાર કરે છે.
  • કેટલાક સજીવોનું થોડા દિવસો જેટલું ટૂંકું છે, જ્યારે કેટલાકને હજારો વર્ષો સુધી લાંબુ જીવે.
  • આ બે પ્રવાહો વચ્ચે ઘણા સજીવો પોતાનો જીવનકાળ પસાર કરે છે.
  • એ ધ્યાનમાં રાખો કે સજીવોના જીવનકાળનો તેમના કદ સાથે સહસંબંધ ધરાવે છે.
  • એ જરૂરી નથી કે કાગડો અને પોપટ બંનેમાં વધુ તફાવત નથી પરંતુ તેમના જીવનના સમયગાળામાં તફાવત છે .
  • સમાન્યપણે આંબાના વૃક્ષનું જીવન પીપળાના વૃક્ષના જીવન કરતાં ટૂંકું છે.
  • આપણે શા માટે કહીએ કે એકકોષી સજીવને કુદરતી મૃત્યુ નથી ? આ વાસ્તવિકતાને આધારે આપણને નવાઈ લાગે છે કે ઘણી સંખ્યામાં પ્રાણી અને વનસ્પતિઓની જાતિ કઈ રીતે આ પૃથ્વી પર હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે.
  • સજીવ જીવોમાં કેટલીક પ્રક્રિયાઓને કારણે જે સતત ચાલ્યા કરે છે.
  • May fly નો જીવન અવધિકાળ 24 કલાક નો હોય છે એટલેકે એક દિવસનો અવધિકાળ છે એટલે એક દિવસીય જંતુ કહે છે જે નાનામાં નાનો અધિકાળ છે
  • કાચબામાં મોટામાં મોટો અવધિકાળ - 300 થી 400 વર્ષ નો હોય છે
  • પોપટનો જીવન કાળ 140 વર્ષનો હોય છે 
  • વનસ્પતિનો 1000 વર્ષ સુધી હોય શકે છે .
  • પ્રજનનની ક્રિયામાં એક સજીવ ભાગ લેશે કે બે તેના આધારે તેના બે પ્રકારો પડે છે : અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન 
પ્રજનન ના પ્રકાર
  • અલિંગી પ્રજનન
  • આ પદ્ધતિમાં એક જ પિતૃ ભાગ ભજવે છે
  • આ પદ્ધતિમાં જન્યુઓનું નિર્માણ થતું નથી
  • તેમાં ફક્ત સમભાજનનો સમાવેશ થાય છે
  • આ પદ્ધતિ પ્રમાણમાં સરળ અને ઝડપી પ્રક્રિયા છે
  • આ પદ્ધતિથી ઉત્પન્ન થતી સંતતિ પિતૃની આબેહૂબ નકલ જનીનિક રીતે સમાન હોય છે
  • જાતીય અંગોનાં નિર્માણમાં તે જરૂરી નથી
  • તેના દ્વારા વિવિધતા પ્રેરાતી નથી
  • આથી ઉદવિકાસિય મહત્ત્વ ધરાવતું નથી .
  • લિંગી પ્રજનન
  • આ પદ્ધતિમાં સામાન્ય રીતે બે પિતૃ ભાગ ભજવે છે
  • આ પદ્ધતિમાં નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય છે
  • તે એક અથવા બીજી સ્થિતિએ અર્ધીકરણનો સમાવેશ કરે છે
  • આ પદ્ધતિ પ્રમાણમાં જટિલ અને ધીમી પ્રક્રિયા છે
  • આ પદ્ધતિથી ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને કે એક્બીજાને મળતી આવતી નથી
  • લિંગી પ્રજનન માટે પહેલેથી જરૂર હોય એવાં જાતીય અંગોનું નિર્માણ થાય છે
  • તે વિવિધતા / ભિન્નતાને પ્રેરે છે, આથી તેનું ઉદવિકાસિય મહત્ત્વ હોય છે .
============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

0 Comments

Below Post Ad