Type Here to Get Search Results !

ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવાણુઓ - આલ્કોહોલ યુક્ત પીણા અને એન્ટિબાયોટિક્સ

1

👉 Free Neet Study Material

👉 Biology Board Material

👉 Neet Examination Question and Answer

આલ્કોહોલ યુક્ત પીણા

  • સૂક્ષ્મજીવોમાં ખાસ કરીને યિસ્ટ પ્રાચીન સમયથી જ પીણા જેવા કે દારૂ, બિયર, વીસ્કી, બ્રાન્ડી અથવા રમ બનાવવામાં થાય છે.
  • આ ઉપયોગ માટે જે યીસ્ટ સેકેરામાયસીસ સેરેવેસીનો ઉપયોગ બ્રેડ બનાવવામાં થાય છે તેનો જ ઉપયોગ થાય છે તેથી તેને સામાન્ય રીતે બેવર યીસ્ટ કહે છે.
  • તેનો ઉપયોગ માલ્ટેઝ અનાજ અને ફળરસના આથવણમાંથી ઈથેનોલ બનાવવા માટે થાય છે.
  • આથવણ માટે વપરાતા કાચા માલનો પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિસ્યન્દન કે વિહિન) પર વિવિધ પ્રકારના આલ્કોહોલીક પીણા બનાવવા માટે થાય છે.
  • વાઈન અને બિયર એ નિસ્યન્દન વગર જયારે વિસ્કી, બ્રાન્ડી અને રમ એ આથવણયુક્ત સૂપ (broth) ના નિસ્યન્દીત બનાવાય છે .
બીજી સામાન્ય યીસ્ટ આથવણની પેદાશો
  • બીયર - તે હોર્ડીયમ વોલ્ગારે (Barely- જવ) દ્વારા બને છે.
  • માલ્ટ અને આલ્કોહોલનું પ્રમાણ 3-6 %
  • વાઈન - તે દ્રાક્ષમાંથી બને છે
  • આલ્કોહોલનું પ્રમાણ 10-20 %
  • બ્રાન્ડી – વાઈનના નિસ્યન્દન થી બને છે.
  • આલ્કોહોલનું પ્રમાણ 60-70 %
  • જીન - યુરોપીય રી સ્કેલ અનાજમાં બને છે
  • આલ્કોહોલનું પ્રમાણ 40 %.
  • રમ- શેરડીના રસમાંથી બને છે
  • આલ્કોહોલનું પ્રમાણ 40 %
એન્ટિબાયોટિક્સ
  • સાલમન વોકસમેન ( 1942 ) એ આ શબ્દ આપ્યો હતો.
  • એન્ટીબાયોટીક્સ જે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ઉત્પન્ન થયેલા છે, તે 20 મી સદીની ઉપયોગી શોધ છે અને તેણે મનુષ્યના કલ્યાણ માટે ઘણું યોગદાન આપ્યું છે.
  • એન્ટી એ ગ્રીક શબ્દ છે તેનો અર્થ વિરુદ્ધ અને બાયો અર્થાત્ જીવન અને સાથે જીવનની વિરુદ્ધ (રોગ પ્રેરક જીવના અનુસંધાનમાં ) જ્યારે મનુષ્યના સંદર્ભમાં જીવન માટેનું વિરુદ્ધ નહિ તે થાય.
  • એન્ટીબાયોટીક્સ એ એવા રસાયણિક પદાર્થ છે જે અમુક જીવાણુમાંથી ઉત્પન્ન થાય છે અને બીજા રોગકારક જીવાણુનો નાશ કરે છે.
  • સામાન્ય રીતે વપરાતી એન્ટીબાયોટીક્સ પેનિસિલિનથી તમે જાણકાર છો.
  • શું તમે જાણો છો કે પેનીસીલીન અકસ્માતે શોધાયેલી પ્રથમ એન્ટીબાયોટીક છે ?
  • એકલકન્ઝાડર ફલેમીંગ જ્યારે સ્ટેફીલોકો કાઈ બેક્ટરિયા પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે અવલોકન કર્યું છે કે તેમની એક સાફ કર્યા વગરની કોષ સંવર્ધન ડીશ પર એક મોલની આજુબાજુ આ જીવાણુઓનો વિકાસ થયો ન હતો.
  • ત્યાર બાદ તેમણે શોધ્યું કે તે મોલ દ્વારા ઉત્પન્ન થતાં રસાયણથી આ થયું છે અને તેને તે મોલ્ડ પેનિસિલનીયમ નોટેનમ પરથી પેનીસીલન નામ આપ્યું.
  • જો કે આને સંપૂર્ણ રીતે એક કાર્યશીલ એન્ટીબાયોટીક તરીકે ઘણા સમય બાદ અર્નેસ્ટ ચેઈન અને હાવર્ડ ફલોરિય દ્વારા સ્થાપવામાં આવી.
  • વિશ્વયુદ્ધ 2 માં અમેરિકાના ઘાયલ સૈનિકોને સારવાર માટે આ એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • તેના માટે 1945 માં ફ્લેમિંગ, ચેઈન અને ફલોરીને નોબલ પ્રાઈઝ મળ્યું હતું.
  • પેનીસીલીન બાદ જીવાણુઓમાંથી અન્ય એન્ટિબાયોટીક્સને પણ નીકાળવામાં આવી હતી.
  • એન્ટીબાયોટીક્સ એ પ્લેગ, કાળી ખાંસી, ગાલ પચોળિયું , કુષ્ઠ રોગ જેવી જીવલેણ બીમારીઓની સારવાર કરવામાં ઉપયોગી ભાગ ભજવ્યો છે.
  • આજે એન્ટીબાયોટીક્સ વગર વિશ્વની કલ્પના શક્ય નથી.
એન્ટિબાયોટીક્સની મૂળ સ્ત્રોત
  • એન્ટિબાયોટીસની બનાવટણના ત્રણ મહત્ત્વના સ્ત્રોત
  • યુબેક્ટરિયા- મોટા ભાગની 70 % એન્ટિબાયોટીક્સ બેસિલસ જાતિમાંથી મળે છે.
  • બેસિલસમાંથી 60 કરતાં વધુ એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવે છે . અને 30 % સ્યુડોમોનાસ જાતિમાંથી બનાવવામાં આવી છે.
  • એક્ટીનોમાઈસીટેલ્સ ( રેમીફાઈડ )
  • સ્ટ્રેપ્ટોમાસયીન, માઈક્રોમોનો સ્કોરા અને સ્ટ્રેપ્ટોસ્પોરાન્ઝીયમ, એકાકી જાતિ સ્ટેટોમાયસીસ ગ્રીસેસમાંથી 40 કરતાં વધારે એન્ટિબાયોટીક્સ બનાવેલી છે.
  • ફૂગ - પેનીસીલીયમ

 ======================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

1 Comments
  1. વાહ સર ખુબજ સરસ છે આપનું

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad