ઉદવિકાસ માટેના પુરાવા -બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા ના ઉદવિકાસીય પુરાવા (ભાગ - 1)
જીવસ્વરૂપનો ઉદ્દવિકાસ - એક સિદ્ધાંત
- પરંપરાગત ધાર્મિક સાહિત્ય આપણને જીવસૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થઈ હશે તેના સિદ્ધાંત બતાવે છે .
- એક સિદ્ધાંત એમ કહે છે કે સંસારમાં આજે જેટલા સજીવો ( જાતિ / પ્રકાર ) છે . તે જેવા છે તેવી રીતે જ ઉત્પન્ન થયેલા હોવા જોઈએ .
- બીજો સિદ્ધાંત મુજબ ઉત્પત્તિના સમયથી જૈવવિવિધતા પહેલેથી જ હતી અને ભવિષ્યમાં પણ એમ જ રહેશે .
- ત્રીજા સિદ્ધાંત મુજબ પૃથ્વી 4000 વર્ષ જૂની છે .
- આ બધા જ વિચારે 19 મી સદીમાં બદલાઈ ગયા . આ વિચારો એચ. એમ એસ બીગલ નામના સમુદ્રી જહાજમાં સફર કરી રહેલા ડાર્વિનના અવલોકનો ઉપર આધારિત છે .
- તેમણે દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતા દર્શાવે છે , પણ વર્ષો પહેલાના સજીવ સાથે પણ તેની સમાનતા છે .
- હાલમાં પૃથ્વી પર ઘણા સજીવો લુપ્ત ( નાશ ) થયેલા છે .
- ઇતિહાસના વિવિધ સમયોમાં અમુક સજીવો લુપ્ત થયા અને અમુક નવા સજીવ નવા બન્યા.
- જે લક્ષણો કુદરતી પર્યાવરણ હવામાન , ખોરાક , ભૌતિક ઘટકો વગેરે સાથે અનુકન કેળવી શક્યા તેવાં લક્ષણો ધરાવતા સજીવો ટકી શક્યા.
- તેઓની પ્રજનન ક્ષમતા પ્રોત્સાહિત થઈ અને પ્રજનન ક્ષમતાનો વિકાસ થતા સંતતિ ઉત્પન્ન કરવા માટે સંજીવ સક્ષમ બન્યા .
- આ બધું જ સજીવો માટે શબ્દ સમસ્થિતિની જાળવણી ( યોગ્યતા મેળવી વાપરી શકાય , જે વસતિની ફિટનેસ સારી તે પૃથ્વી ૫૨ ટકી શકે .
- ડાર્વિનના મત મુજબ જેનામાં પ્રજનન ક્ષમતાની ફિટનેસ સારી હોય તેઓ અન્ય સજીવ કરતાં વધારે સંતતિ ઉત્પન્ન કરે , કારણ કે તેણે પર્યાવરણ સાથે વધુ અનુકૂલન કેળવ્યું હોય .
- તેથી તે વધુ સમય સુધી ટકે અને કુદરત તેને પસંદ કરે છે . તેને નૈસર્ગિક પસંદગી (Natural Selection) કહે છે તેને ઉદ્દવિકાસ ની એક પ્રક્રિયા તરીકે ર્શાવી .
- માલય આર્કિપેલાગો એક ટાપુવિસ્તાર પર કાર્ય કરેલ આલ્ફ્રેડ વાલેસે પણ આ વાતને સમર્થન આપ્યું હતું .
- ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને દેખીતી રીતે નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવતા ગયા .
- બધા જ સજીવોના પૂર્વજો સામાન્ય છે . આ પૂર્વજો ભૂતકાળમાં વિવિધ સમયે હાજર હતા .
- પૃથ્વીનો ભૌગોલિક ઇતિહાસ જૈવિક ઇતિહાસ સાથે સુમેળ દર્શાવે છે .
- પૃથ્વી હજારો વર્ષ જૂની નથી પણ કરોડો વર્ષો જૂની છે .
ઉદ્દવિકાસ માટેના પુરાવા
ઉદ્દવિકાસીય પુરાવા સમજવા અલગ અલગ શ્રેણીમાં અભ્યાસ કરી અને સમજવામાં આવ્યા
તે નીચે પ્રમાણે છે
1) બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા ના પુરાવા
2) ગર્ભવિદ્યાકીય પુરાવા
3) અશ્મિવિદ્યાકીય પુરાવા
4) જૈવવભુવિદ્યાકીય પુરાવા
5) ભૌતિક અને જૈવ રાસાયણિક પુરાવા
1) બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા ના પુરાવા
A) સમમૂલક કે રચનાસદ્દશ અંગો
B) કાર્યસદ્દશ અંગો
A) સમમૂલક કે રચનાસદ્દશ અંગો
- જે અંગો તેમના બાહ્યકાર અંતઃસ્થ રચના અને ગર્ભ વિદ્યાની રીતે સામ્યતા ધરાવતા હોય પરંતુ તેમના કાર્ય જુદા હોય તેમને સમમૂલક અંગો કહે છે
- ઉદાહરણ
- માણસના હાથ અને ઘોડા ના અગ્ર ઉપાંગ
- માણસના હાથ અને વ્હેલ ના અગ્ર ઉપાંગ
- પૃષ્ઠવંશીઓના હૃદય
- બોગનવેલ ના પ્રકાંડ કંટકો અને કોળા ના પ્રકાંડ સુત્રો
- ફાયલોક્લેડ ના પ્રકાંડ અને બીજા પ્રકાંડ.
- આવા પ્રકારના ઉદ્દવિકાસ ને અપસારી ઉદ્દવિકાસ કહે છે.
B) કાર્યસદ્દશ અંગો
- જે અંગો સમાન કાર્ય કરતા હોય પરંતુ મૂળભૂત ઉત્પત્તિ અને અંતઃસ્થ રચના અસમાન હોય તેમને કાર્યસદ્દશ અંગો કહે છે
- ઉદાહરણ
- પક્ષીઓ અને કીટકોની પાંખો
- માણસ અને મૃદુકાય ની આંખ
- ફાયલોક્લેડ નું પ્રકાંડ અને અન્ય વનસ્પતિ ના પર્ણ
- આવા પ્રકારના ઉદ્દવિકાસ ને કેંદ્રભીસારી ઉદ્દવિકાસ કહે છે.
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
KNOWLEDGE ON THE WAY....................
વનસ્પતિ ઉદવિકાસ વિશે સમજાવો
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box