- જૈવ ખાતરએ એક પ્રકારના જીવ છે જે જમીનને પોષ દ્રવ્ય (N,P) યુક્ત બનાવે છે.
- જૈવ ખાતરોનો મુખ્ય સોત જીવાણુઓ, ફૂગ અને સાયનોબેકટેરિયા છે.
- જીવાણુઓ
- રાઈઝોબીયમ ( સહજીવી બેકટેરિયા ) - એ વાતાવરણના નાઈટ્રોજનને રાસાયણિક ફેરવે છે અને જેનો વનસ્પતિ પોષક દ્રવ્ય તરીકે ઉપયોગમાં લે છે.
- બીજા જીવાણુઓ જેવા કે એઝોસ્પાયરીલમ અને એઝેટોબેક્ટર મુક્તજીવી છે જે વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
- ફૂગ પણ છોડ સાથે સહજીવન ધરાવે છે (માઈકોરાઈઝા) ઘણા ગ્લોમસ જાતિના સભ્યો તેના ઉ.દા. છે. ફૂ
- ફુગનું સહજીવન ફોસ્ફરસ ને શોષણ કરીને છોડને આપે છે.
- આ ઉપરાંત તે મૂળ સાથે સંબંધિત પરોપજીવી સામે પણ રક્ષણ આપે છે, ક્ષારતા અને દુષ્કાળ સામે સહિષ્ણુતા અને આમ એકંદરે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસને પ્રેરે છે.
- સાયનોબૅરિયા એ (સ્વાવલંબી) સૂક્ષ્મ જીવાણુ છે જે જળચર અને સ્થળ પર્યાવરણમાં વિસ્તરેલ છે અને તે વાતાવરણના નાઈટ્રોજનને સ્થાપિત કરે છે. (દા.ત. એનાબિના, નોસ્ટોક, ઓસીલેટોરિયા વગેરે) ખેતરમાં સાયનોબેરિયા મહત્ત્વના જૈવ ખાતર તરીકે વર્તે છે.
- નીલહરિત લીલ પણ જમીનમાં રાસાયણિક પદાર્થો ઉમેરીને તેની ફળદ્રુપતામાં વધારો કરે છે.
- જૈવ ખાતરોએ સસ્તા અને અપ્રદૂષિત છે તેઓ જમીનને ફરીથી ફળદ્રુપ કરવામાં મહત્ત્વના છે.
- તેઓ રાસાયણિક ખાતરની જરૂરિયાતને ઓછી કરે છે અને જૈવિક ખેતીમાં ઉપયોગી છે.
- વિકાસશીલ દેશના, ગ્રામ્ય વિસ્તાર પશુઓના મળને થેપીને તેનો ઉપયોગ સામાન્ય રીતે ઈધણ તરીકે થતો હોય છે.
- ખેતરોનું શકિતશાળી બળતણમાં બગાડ પામે છે. આ છાણનો ઉપયોગ બાયોગેસ (ગોબરગેસ) બનાવવામાં થઈ શકે અને સાથે સાથે તેમાંથી ખાતર પણ મળી શકે છે. છાણાને થેપીને બનાવેલા થેપણ કરતાં બાયોગેસને બળવાની અને ઊર્જા આપવાની ક્ષમતા વધુ છે.
- ઉપરાંત તમામ અવલોકન બાદ પરિણામ પરથી કહી શકાય કે જૈવગેસએ વધુ અસરકારક છે.
- બાયોગેસ એ જીવાતૃઓની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા વાયુઓનું મિશ્રણ છે.
- જે ઈંધણ તરીકે વાપરી શકાય છે.
- તમે જાણો છો તેમ જીવાવૃઓ તેમના વિકાસ અને ચયાપચયની ક્રિયા દરમિયાન અંત પેદાશ તરીકે અમુક ગેસને ઉત્પન્ન કરે છે.
- આ ગેસના પ્રકાર જીવાણુઓની જાત પર અને જૈવિક પદાર્થ જેના પર તેઓ નભે છે. તેના પર આધારિત છે.
- આર્થો, ચીઝ અને પીણાંની બનાવટમાં મુખ્ય CO2, વાયુ ઉત્પન્ન થાય છે જયારે કેટલાક બેકટેરિયા કે જે સેલ્યુલોઝ પર અજારક રીતે વિકસે છે અને ને CO2, સાથે મોટા પ્રમાણમાં મિથેન અને H2, પણ ઉત્પન્ન કરે છે.
- આ જીવાણુને સામુહિક રીતે મિથેનોજન કહે છે. અને સામાન્ય જીવાણુ મિથેનોબેક્ટરિયમ છે.
- આ જીવાણુઓ સામાન્ય રીતે સીવેજ વખતે અજરક પદાર્થ તરીકે જોવા મળે છે.
- આ જીવાણુઓ ઢોરના આમાશય (જઠરનો એક ભાગ).
- ઢોરના ખોરાકમાં રહેલું સેલ્યુલોઝ વધુ પ્રમાણમાં આમાશયમાં રહેલું હોય છે.
- આ જીવાણુઓ સેલ્યુલોઝને તોડે છે . તેમાંથી ઢોરને પોષાણ પૂરું પાડે છે . જેથી તે ઢોરના છાણએ આ જીવાણુઓથી ભરપૂર હોય છે.
- આ છાણ બાયોગેસના ઉત્પાદન માટે વપરાય છે અને તેથી તેને ગોબરગેસ પણ કહે છે.
- બાયોગેસનો પ્લાન્ટમાં એક કોંક્રીટની ટાંકી હોય છે જેમાં આ જૈવિક કચરો ભેગો થાય છે અને તેને લુગદી જેવું બનાવાય છે. તેની ઉપર એક ઢાંકણ ઢાંકવામાં આવે છે.
- જેમ જેમ જીવાણુઓની પ્રક્રિયાથી ગેસ ઉત્પન્ન થાય તેમ તેમ તે ઉંચુ આવશે.
- આમાં એક ગેસ બહાર નીકળવવા માટેનું સ્થાન હશે તે એક પાઈપ સાથે જોડાયેલી હશે તે આ ગેસને આજુબાજુના પહોંચાડવામાં ઉપયોગી થશે.
- તે વપરાયેલી લૂગદી બીદા દ્વારા મારફતે કાઢીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
- ઢોરના છાણ ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં મળી રહે છે.
- જેથી ગ્રામ્ય વિસ્તારમાં ગોરબગેસ પ્લાન્ટ વધુ હોવા જોઈએ.
- આવી રીતે ઉત્પન્ન થયેલ જૈવ ગેસ રાંધવામાં અને અજવાળુ ફેલાવવા ઉપયોગી છે.
- આ તકનીકનો ભારતમાં વિકાસ ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ( IARI ) અને ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન ( KVIC ) ના પ્રયત્નોથી થયું છે.
- જે ફાર્મ હાઉસમાંથી જૈવિક કચરો મળે છે જેમ કે ગાયનું છાણ, નકામા ઘટકો, મૂત્ર, મળ વગેરે તેને આર્થિક રીતે ઉપયોગ ગોબરગેસ બનાવીને કરી શકાય છે.
- તે મિથેન ( 50-70 % ), CO2 (30-40 % ) અને હાઈડ્રોજન, નાઈટ્રોજન તથા હાઈડ્રોજન સલ્ફાઈડ થોડા પ્રમાણમાં ધરાવે છે.
- બાયોગેસે એ નકામા જૈવ ભારના અજારક આથવણથી મળે છે. અજારક આથવણને ત્રણ તબક્કામાં જોઈ શકાય છે :
- વૈકલ્પિક અજારક જીવાણુઓ
- ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા જટીલ પોલીમરને સરળ પોલીમરમાં રૂપાંતરીત કરે છે. પોલીમર જેવા કે સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ, પ્રોટીન અને લિપિડ તૂટીને મોનોમરમાં ફેરવાય છે. પરંતુ લિગ્નિન અને અજૈવિક ક્ષારને તૂટી શકતા નથી અને એમ જ રહે છે.
- બીજા તબક્કામાં , અપૂર્ણ જરક સ્થિતિમાં જીવાણુની પ્રક્રિયા દ્વારા મોનોમર જૈવિક એસિડમાં રૂપાંતર પામે છે અને અંતે એસિટિક એસિડમાં પરિણમે છે.
- ત્રીજા તબક્કામાં અજરકમિથેનો જેનીક જીવાણની પ્રક્રિયા દ્વારા એસિટિક એસિડ મિથેનમાં રૂપાંતર થાય છે.
- આ જીવાણુઓ સામાન્ય રીતે સીવેજ ટ્રીટમેન્ટ દરમ્યાન અજારક સ્વજ તરીકે મળે છે. આ જીવાણુઓ ઢોરના (જઠરના એક ભાગ ) મેનમાં પણ જોવા મળે છે.
- ઢોરના ખોરાકમાં સેલ્યુલોઝ વધુ પ્રમાણમાં રુમેનમાં રહેલું હોય છે.આ જીવાણુઓ સેલ્યુલોઝને પચાવીને તેમાંથી ઢોરને પોષણ પૂરું પાડે છે.
- આ આખી પ્રક્રિયામાં સેલ્યુલોઝને પચાવાની પ્રક્રિયાનો દર ખૂબ જ ધીમો છે તેથી તે બાયોગેસના ઉત્પાદનમાં દરને નિયંત્રિત કરતું પરિબળ છે.
- બાયોગેસ સરળતાથી સંગ્રહી શકાય છે અને તે ઊર્જાનો મહત્ત્વનો સ્ત્રોત છે.
- તેનો ઉપયોગ ઘણા કાર્યોમાં થઈ શકે છે અને રાંધવામાં તેનો ઉપયોગ થાય છે.
- આ પ્રક્રિયાની આડ પેદશો એ સ્થાયી અવશેષો છે, જેનો સારા ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.
- તે અરક્ષિત કચરાની ઉપલ્બધતા પાડીને મળ પર નભતા રોગકારકોનો વિકાસ ઘટાડે છે.
- તેથી સ્વચ્છતાની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે.
- તે પરોપજીવીઓના ફેલાવાની ક્ષમતા પણ ઓછી કરે છે અને દરેક વર્ષે પાકમાં થતો રોગચાળો ઓછો કરે છે
======================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Thank you so much sir 👍
ReplyDeletePlease join me in WhatsApp group
DeletePlease Do Not enter any sparm link in comment box